ઋતુરાજ સિંહનું નિધન : બૉલીવુડમાં શોકની લહેર 'અનુપમા'ના એક્ટરનું 59 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટે લીધો જીવ..
- 20 Feb, 2024
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું નિધન થયું છે. તેમની ઉંમર 59 વર્ષની હતી. 19 ફેબ્રુઆરીની રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટર ‘અપની બાત’, ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’, ‘આહટ’, ‘અદાલત’, ‘દિયા ઔર બાતી’ જેવા ઘણા શોમાં જોવા મળ્યા હતા. તે છેલ્લે રૂપાલી ગાંગુલી સાથે ‘અનુપમા’માં જોવા મળ્યા હતા, જેમાં તેણે એક રેસ્ટોરન્ટના માલિકની ભૂમિકા ભજવી હતી.
ઋતુરાજ સિંહનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેઓ માત્ર 59 વર્ષના હતા. અને છેલ્લા કેટલાક સમયથી સ્વાદુપિંડ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમના આકસ્મિક નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ તેમના ફેન્સ પણ આઘાત લાગ્યો છે. કારણ કે તે શોમાં તેને ફરી પાછાથી જોવાની રાહ જોઈ રહ્યો હતો. તેમનું આકસ્મિક નિધન ટીવી જગત માટે એક મોટી ખોટ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ